Meaning of Pramod bhavna in gujarati
પ્રમોદ ભાવના એટલે “અન્યના સુખમાં આનંદ મનાવવો” અથવા “અન્યના શુભ કાર્યમાં પ્રસન્નતા અનુભવવી”. જયારે આપણે બીજા લોકોના સુખ, સફળતા કે સત્કર્મમાં દિલથી આનંદ કરીએ, તેને પ્રમોદ ભાવના કહેવામાં આવે છે.
જૈન ધર્મમાં, પ્રમોદ ભાવના મહત્વપૂર્ણ છે કારણ કે એ આપણામાં ઈર્ષા, દ્વેષ અને અસૂયા દૂર કરે છે અને આપણા મનને શાંતિ આપે છે. જ્યારે આપણે બીજા લોકોના સુખમાં ખુશી અનુભવીએ છીએ, ત્યારે આપણાં અંદર દયા, મિત્રતા અને સહાનુભૂતિ જેવા ગુણો વિકસે છે.
અર્થાત: પ્રમોદ ભાવના – “અન્યના સુખમાં આનંદ અનુભવવો.”